ફતેપુરા, તા.૩ 

ફતેપુરા તાલુકાના ખેતીલાયક વરસાદ થયા પછી લોકો ખેતી કામમાં જોતરાઈ ગયા હતા મોટાભાગના વિસ્તારમાં ખેડૂતોએ ખેતી કરી હતી ત્યાર બાદ વરસાદ ની રાહ જોતા જોતા આજ સુધી વરસાદ ન વરસતા લોકો ભોલેનાથ ના ચરણે ગયા હતાં ફતેપુરા થી ત્રણ કિલોમીટર દૂર વડવાસ ગામમાં આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શંકર અને માતા પાર્વતીને પાણી મા બુડાડવામા આવ્યા હતા જ્યાં સુધી વરસાદ ન વરસે ત્યા સુધી માતા પાર્વતી અને ભગવાન શંકરને પાણીમાં જ રાખવામાં આવશે તો બીજી બાજુ ફતેપુરા તાલુકા ની આદિવાસી મહિલાઓ પુરુષ વીસ ધારણ કરીને ફતેપુરા નગરમાં ધાડ પાડવા નીકળી હતી મોટાભાગના ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરતા હોય છે આ વર્ષે કોરોનાનો કહેર છે ત્યારે બીજી તરફ વરસાદનો કહેર પણ જોવા મળતા જગતનો તાત કુદરત સામે લાચાર બન્યો છે ખેડૂતોએ અનેક આશા સાથે મોંઘા ભાવના બિયારણો લાવી ને ખેતરમાં મકાઇ ડાંગર તુવેર સોયાબિન કપાસ સહિત અન્ય પાક ની ખેતી કરી હતી વધતી જતી મોંઘવારીને લઈ ખેડૂતોએ ખેતરમાં ખેત મજૂરી ન બોલાવીને ખેડૂત પરિવાર ખેતીકામમાં જોતરાયા ગયા હતા જાણે અહીંના ખેડૂતો પર મેઘરાજા રિસાયા હોય તેમ વરસાદ ખેંચાતા પાકને પાણીની તાતી જરૂર વચ્ચે સુકાઈ જવાની આરે હોવાની જગતનો તાત ચિંતિત થઈ ઊઠ્‌યો છે.

 મોંઘા ભાવના બિયારણો તેમજ મોંઘા ભાવનું ખાતર લાવી ખેડૂતે પોતાના ખેતરમાં ખેતી કરી છે ત્યારે વરસાદ ખેંચાતા મોંઘા ભાવના બિયારણો અને ખાતર નષ્ટ થયા છે જ્યારે આ વિસ્તારમાં કેનાલ ની સુવિધા ના હોવા નથી સિંચાઈનો કોઈ જ માધ્યમ ન હોવાથી તથા અમુક કૂવા પાણી વગર ખાલીખમ જોવા મળી રહ્યા છે.