રાનકુવા તા.૧૭ 

વૈશ્વિક મહામારી સમાન કોરોનાવાયરસ દક્ષિણ ગુજરાતમાં તેનો કાતિલ પંજો ફેલાવી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ થયેલા દર્દીઓની સંખ્યામાં રોજબરોજ વધારો નોંધાઈ રહ્યો છે નવસારી જિલ્લામાં ગતરોજ સુધીમાં ૩૧૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

શુક્રવારે વધુ ૩૧ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.ઉપરાંત વધુ ત્રણના મોત થતાં કોરોના પોઝિટિવ કેસ તરીકે ની સારવાર હેઠળ લખાયેલા કુલ ૨૨ વ્યક્તિઓ એ કોરોના સામે જિંદગી હારી જતા જાન ગુમાવી પડી છે.

  નવસારી જિલ્લામાં કોરોનાવાયરસના પોઝિટિવ આવેલા કેસો પૈકી જલાલપોરના ઉભરાટ રોડ પર રહેતા ૫૩ વર્ષીય પુરુષ. મરોલી બજાર. ઉભરાટ રોડ મરોલી બજાર વિસ્તારમાં રહેતા મહિલા. ઉભરાટ રોડ ગુપ્તા નિ ચાલ ઉભરાટ મરોલી બજાર -માં રહેતા ૨૬ વર્ષિય પુરુષ. ખાના ની ચાલ મરોલી બજાર (ઉમર૭૧ ) પુરુષ. ડાભેલ- ગામે પટેલ ફળિયુ સિસોદ્રા નવસારી- વિદ્યા દર્શન એપાર્ટમેન્ટ શાંતાદેવી એપાર્ટમેન્ટ ના ૫૬ વર્ષીય પુરુષ - ટાટા હોલ ની સામે આત્મન એપારમેન્ટ પાર ફળિયા નવસારી ખાતે રહેતા ૫૧ વર્ષીય પુરુષ વગેરેનો સમાવેશ થાય છે.