દિલ્હી-

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 78,357 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. સંક્રમણના કારણે લોકોના મોત થયા છે. જે બાદ દેશમાં કોરોનાનો આંકડો 37,69,524 પર પહોંચી ગયો છે. દેશમાં 8,01,282 કોરોના એક્ટિવ કેસ છે. જોકે 29,019,09 દર્દીઓ સાજા થઇ ગયા છે.

દેશમાં કોરોનાના કારણે મૃત્યું પામનાર લોકોની સંખ્યા 66,333 સુધી પહોંચી ગઇ છે.દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 27 કલાકમાં 78 હજાર 357 લોકો સંક્રમિત મળી આવ્યા છે. આ દરમિયાન 1045 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિત કુલ સંખ્યા 37 લાખ 69 હજાર 524 થઇ ગઇ છે.