કરનાલ-

ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગને લઇને ખેડૂત સંગઠને હરિયાણામાં ભાજપ નેતાઓ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. કરનાલમાં ખેડૂત સંગઠનો દ્વારા ભાજપ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ કરનાલ ટોલ પ્લાઝા પર ભાજપ પ્રદેશાધ્યક્ષ ઓપી ધનકડનો કાળો ઝંડો બતાવીને વિરોધ કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે, કેટલાક ખેડૂતોએ આ દરમિયાન ઓપી ધનકડની ગાડી પર ડંડા વરસાવ્યા હતા. ખેડૂતોએ પહેલાથી જ ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવાની ચેતવણી આપી હતી. ત્યાં ખેડૂતોના આહ્વાન પછી જિલ્લા ઉપાયુક્ત નિશાંત કુમારે પણ આશ્વાસન આપ્યું હતું કે, ખેડૂત નેતાઓ સાથે વાત કરીને તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કોઇ કાનૂન વ્યવસ્થાનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કરનાલમાં ખેડૂતોએ મુખ્યપ્રધાન મનોહર લાલના કાર્યક્રમનો વિરોધ કર્યો. જેથી ત્યાં સ્થિતિ તણાવપૂર્ણ થઇ ગઇ છે. આ દરમિયાન પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ પણ કર્યો છે.