બાયડ : ગાયત્રી શક્તિપીઠ બાયડ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ભારત માતા મંદિર તથા સ્વામી વિવેકાનંદની પ્રતીમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સિત્તેરમા જન્મદિવસ નિમિતે બાયડ તાલુકા ગાયત્રી શક્તિપીઠના કમ્પાઉન્ડમાં ભારત માતા તેમજ સ્વામી વિવેકાનંદની મૂર્તિનું વિધિ વિધાન સાથે પૂજન કરી વિવિધ ક્ષત્રોના આગેવાનો અને બાયડ તાલુકા ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓની હાજરીમા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાયડ તાલુકા ગાયત્રી શક્તિપીઠ દ્વારા છેલ્લા બેથી ત્રણ મહિનાથી એક અનોખી રીતે આખા તાલુકાના જુદા જુદા વિસ્તારમાં અને બાયડ નગરપાલિકા વિસ્તારના સોસાયટી વિસ્તારમાં લગભગ એક હજાર કરતા પણ વધારે બોરસલ્લીના છોડ વાવવાનું અભિયાન ચલાવ્યું છે. બાયડ ખાતે ગાબટ રોડ પર તાલુકા શક્તિપીઠના પ્રમુખ મનહરભાઈની આગેવાની હેઠળ બોરસલ્લીના છોડ રોપવાનું કામ કરવામાં આવ્યું હતું.