આણંદ, તા.૨૪  

આણંદ જિલ્‍લામાં હાલ કોરોના વાઇરસના શંકાસ્‍પદ અને સંક્રમિત દર્દીઓની સંખ્‍યામાં ઉત્તરોતર વધારો થઇ રહેલ છે. આવા સંજાેેગોમાં આણંદ જિલ્‍લામાં આવેલાં નાના-મોટા ઔદ્યોગિક એકમોમાં આકસ્મિક તપા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી. કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્‍તપણે પાલન થાય છે કે કેમ તે અંગે જિલ્‍લા કલેકટર આર. જી. ગોહિલની સૂચનાને ધ્‍યાને લઇને જિલ્લામાં આવેલાં વિવિધ એકમોની ચકાસણી કરવામાં આવી રહી છે. તદ્‌અનુસાર પેટલાદ અને સોજિત્રામાં તાલુકામાં આવેલાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં નિયમોનું પાલન થાય છે કે કેમ તેની પેટલાદના નાયબ કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટર કચેરી અને પેટલાદ તથા સોજિત્રા મામલતદાર કચેરીના સ્‍ટાફની સંયુકત ટીમ બનાવીને પોલીસ કર્મચારીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. સતત બે દિવસ દરમિયાન પેટલાદ તાલુકામાં આવેલાં ૫૮ અને સોજિત્રા તાલુકામાં આવેલાં ૫ ફાર્માસ્‍યુટિકલ, ઔદ્યોગિક એકમો તથા ફૂડની કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. બં દિવસ દરમિયાન કુલ ૬૩ જેટલાં વિવિધ ઔદ્યોગિક એકમોની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.