આણંદ, તા.૨૪
આણંદ જિલ્લામાં હાલ કોરોના વાઇરસના શંકાસ્પદ અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહેલ છે. આવા સંજાેેગોમાં આણંદ જિલ્લામાં આવેલાં નાના-મોટા ઔદ્યોગિક એકમોમાં આકસ્મિક તપા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી. કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે કેમ તે અંગે જિલ્લા કલેકટર આર. જી. ગોહિલની સૂચનાને ધ્યાને લઇને જિલ્લામાં આવેલાં વિવિધ એકમોની ચકાસણી કરવામાં આવી રહી છે. તદ્અનુસાર પેટલાદ અને સોજિત્રામાં તાલુકામાં આવેલાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં નિયમોનું પાલન થાય છે કે કેમ તેની પેટલાદના નાયબ કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટર કચેરી અને પેટલાદ તથા સોજિત્રા મામલતદાર કચેરીના સ્ટાફની સંયુકત ટીમ બનાવીને પોલીસ કર્મચારીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. સતત બે દિવસ દરમિયાન પેટલાદ તાલુકામાં આવેલાં ૫૮ અને સોજિત્રા તાલુકામાં આવેલાં ૫ ફાર્માસ્યુટિકલ, ઔદ્યોગિક એકમો તથા ફૂડની કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. બં દિવસ દરમિયાન કુલ ૬૩ જેટલાં વિવિધ ઔદ્યોગિક એકમોની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments