ઇમ્ફાલ-

મણિપુરમાં  5.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા . એક મહિનામાં મણિપુરમાં ભૂકંપનો આ બીજો આંચકો આવ્યો હતો . આ પહેલાં ઑગસ્ટની 11મીએ પણ આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના કહેવા મુજબ સોમવારે મધરાત પછી બેને ૩૯ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો . ભૂકંપનું કેન્દ્ર મણીપુરની પૂર્વે પંચાવન કિલોમીટર દૂર આવેલા ઉખરુલમાં હતું . જો કે કોઇ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના રિપોર્ટ મળ્યા નહોતા . એક તરફ ભારે વરસાદ અને ઊભરાતી નદીઓ વચ્ચે આવેલા ભૂકંપના આંચકાએ લોકોમાં ગભરાટની લાગણી ફેલાવી દીધી હતી .