ગાંધીનગર, ગુજરાતના માછીમારોની સમસ્યા અને તેમને સહાય મુદ્દે ગુજરાત સરકારના જ મંત્રીએ સરકારની કામગીરી પર સવાલો કર્યા છે. કોળી સમાજના આગેવાન અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપમાં માછીમારોને વધારે કશું આપવામાં આવતું નથી.

માછીમારોની તકલીફ કોઇ જાેતું નથી. પેકેજ આપ્યું છે પણ અમલવારી ક્યાંય કરવામાં આવતી નથી. નેતાઓ માછીમારોની ચિંતા અને દર્દ નથી સમજતા. ભાજપના જ મંત્રીએ સરકાર પર આક્ષેપો કર્યાં છે. રાજુલા સહિતના દરિયાઈ વિસ્તારોના લોકોની મુશ્કેલીઓ અને માછીમારોની સમસ્યાઓ સંદર્ભે તેમણે કહ્યું કે, સરકાર માછીમારોના સવાલમાં કોઈને જવાબ નથી દેતા. માછીમારી કરવા દરિયાકાંઠાના વિસ્તારમાં માણસોને મુશ્કેલી પડી રહી છે. કાંઠા વિસ્તારોમાં જઈને પૂછો તમને હકીકત

ખબર પડશે. ગરીબોની દશા જુઓ. ખાવાના ય વાંધા છે. સરકાર બધી વાતો જ કરે છે. જેટલું પહોંચવું જાેઈએ તેટલુ પહોંચ્યુ નથી. સરકારે માછીમારો માટે લિમિટેડ રૂપિયા જ જાહેર કર્યાં છે. સરકાર જે જાેરથી કરવું જાેઈએ તે થતું નથી. દરિયાકાંઠે અધિકારીઓને મોકલીને સરવે કરાવીને પ્રયત્ન કરવા જાેઈએ. તેમણે વધુમાં કહ્યું કે, મંત્રી જવાહર ચાવડા બિચારા મારું બધુ માને છે. તેઓ પોતે પણ લાચાર છે. પણ બધું સરકાર પર ર્નિભર છે. મુખ્યમંત્રી હવે શુ કરે એ જાેવાનું છે. મુખ્યમંત્રી પોતે કહે છે કે તમારો સમાજ ગરીબ છે એ હુ સમજુ છું. અનેક નેતાઓને દરિયાકાંઠાની સમજણ નથી. માછીમારો દરિયામાં બાર-પંદર દિવસ જાય છે, પણ વિલાયેલા મોઢે પાછા ફરે છે. આ પરિસ્થિતિ જેણે જાેઈ છે તેને ખબર છે. હું પોતે આ બધામાંથી પસાર થઈ ચૂક્યો છું. વાપીથી લઈને પોરબંદર સુધીના દરિયા કાંઠે કોળી, ખારવા અને મુસ્લિમ સમાજ વધુ છે. કોળી સમાજ થકી હું આગળ આવ્યો છું, તે સમાજના થકી હું મંત્રી બન્યો છું.