અરવલ્લી,તા.૧૫ 

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા વહિવટી તંત્ર તરફથી કેટલાક નિયમ બનાવામાં આવ્યા છે. જોકે મોટાભાગના નિયમ માત્ર કેહવા પુરતા અમલમાં હોય તેવું લાગી રહ્યું છે. હાલ કોરોના વાયરસ ને ધ્યાન દરેક બસમાં ૩૦ પેસેન્જરની કેપિસિટી કરી દેવામાં આવી છે.આ ઉપરાંત મુસાફરોને સેનેટાઇઝ કરી અને માસ્ક પહેરીને જ બસમાં પ્રવેશ આપવામાં આવી રહ્યાં છે. રસ્તામાંથી કોઈ પેસેન્જર લેવામાં આવતા નથી. એસ.ટી બસના આવા નિયમ લોકોના હિત માટે છે. પરંતુ તેનો ગેરલાભ ખાનગી પેસેન્જર વાહનચાલકો ઉઠાવી રહ્યા છે. મોડાસા ચાર રસ્તા પર સ્ટેટ બેંકની બાજુમાંથી રોજ ખાનગી વાહનોમાં ખીચોખીચ મુસાફરો ભરવામાં આવે છે. મોટાભાગના મુસાફરો કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા નિયમો બનાવામાં આવ્યા છે તેનું પાલન કરતા નથી.મુસાફરોમાં ન તો સોશિયલ ડીસ્ટન્સ જોવા મળે છે ન તો તેમને સેનેટાઇઝ કરવામાં આવે છે. રસ્તામાં દરેક સ્થળે આ ખાનગી વાહનો ઉભા રાખી મુસાફરો ભરે છે. જેથી આ વાહનો કોરોના વાહક બની શકે છે તેવું જાગૃત નાગરિકોનું માનવું છે.અન્ય સ્થળોથી મોડાસામાં આવતા લોકો કોરોનાગ્રસ્ત મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લામાં વધું સંક્રમણ ફેલાવવાની ભીતિ પેદા થઈ છે. બસમાં હજુ પણ ફકત ત્રીસ પેસેન્જરનો નિયમનું પાલન કરાઇ રહ્યુ છે, પરંતુ મોડાસા બસ સ્ટેશનના બિલકુલ સામેથી નિયમોની એસી કી તેસી બેફામ ચાલતા ખાનગી પેસેન્જર વાહનોમાં ઠસોઠસ પેસેન્જર ભરવામાં આવે છે.હાલ એસ.ટી બસ ઓછી સંખ્યામાં દોડી રહી છે ત્યારે ખાનગી વાહનોને ઘી કેળા થઇ ગયા છે.ખાનગી વાહનચાલકો બેફામ ભાડુ વસૂલ તો કરી જ રહ્યા છે સાથે કોવિડ-૧૯ના નિયમોનું ઉલ્લંઘન કરી ખીચોખીચ મુસાફરો ભરવામાં આવે છે. જેથી કોરોના મહામારી એક સ્થળેથી બીજા સ્થળે ફેલાઈ શકે છે. આવા બેફામ ખાનગી વાહનચાલકો ટ્રાફિક પોલીસની નજર સમક્ષ હોય છે છતાં કેમ દેખાતા નથી કે પછી તંત્ર દ્વારા આંખ આડા કાન કેમ કરવામાં આવે છે જે પ્રજામાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.