રાજકોટ, શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન સામે આવેલા શણગાર હોલમાં રવિવારના રોજ ૧૨ અનાથ દીકરીના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં આશરે ૪૦૦ જેટલા લોકો એકત્રિત થયા હતા. હાલમાં સમગ્ર રાજ્યમાં કોઇ પ્રકારનાં મેળાવડાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઘટના અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આયોજન કરનાર તથા હોલ સંચાલકની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થળ પર હાજર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જાે કે સમુહલગ્નમાં હાજર એનસીપી નેતા રેશમા પટેલે જણાવ્યું કે, ભાજપનાં નેતાઓ ટોળા એકત્ર કરે તો પોલીસ મૌન રહે છે. ૧૨ અનાથ દિકરીઓના સમુહલગ્નમાં બહાદુરી દેખાડવા માટે આવી પહોંચી હતી.