નવી દિલ્હી:  

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલને તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પછી ભલે તે સામાન્ય નાગરિકો હોય કે પછી બોલીવુડ હસ્તીઓ. પંજાબી એક્ટરોની સાથે સાથે બોલીવુડ સ્ટાર્સ પણ ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે. એવામાં હવે બોલીવુડથી હોલીવુડ સુધી પહોંચી ગયેલી પ્રિયંકા ચોપરાએ પણ ખેડૂત આંદોલનને લઈને પોતાનો પક્ષ રજુ કર્યો છે.

દિલજીત દોસાંજની કંગના રનૌત સાથે ખેડૂત આંદોલનને લઈને લાંબો શાબ્દિક વિવાદ થયો હતો. એવામાં અનેક લોકોએ દિલજીતને સાચો ઠેરવ્યો હતો. હવે પ્રિયંકા ચોપરાએ પણ દિલજીતની એક ટ્વીટને રિટ્વીટ કરીને તેનું અને ખેડૂતોનું સમર્થન કર્યું છે. હકીકતમાં દિલજીતે પોતાની ટ્વીટમાં લ્ખ્યું હતું કે પ્રેમની વાત કરીએ, કોઈ પણ ધર્મ લડાઈ શીખવાડતો નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન અને બૌદ્ધ બધા એક બીજાની સાથે છે. ભારત આ જ રીતભાત માટે આખી દુનિયામાં જાણીતું છે. અહીં બધા પ્રેમથી રહે છે. અહીં દરેક ધર્મને ઈજ્જત અપાય છે.

પ્રિયંકાએ ખેડૂતોને ગણાવ્યા ખાદ્ય સૈનિક

પ્રિયંકાએ દિલજીતની એક ટ્વીટને રિટ્વીટ કરીને કહ્યું કે આપણા ખેડૂતો ભારતના ખાદ્ય સૈનિકો છે. તેમના ડરને દૂર કરવાની જરૂર છે. તેમની આશાઓ પર ખરા ઉતરવાની જરૂર છે. એક સંપન્ન લોકતંત્ર તરીકે, આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ સંકટનો કેવી રીતે જલદી ઉકેલ આવે.

Our farmers are India’s Food Soldiers. Their fears need to be allayed. Their hopes need to be met. As a thriving democracy, we must ensure that this crises is resolved sooner than later. https://t.co/PDOD0AIeFv

— PRIYANKA (@priyankachopra)