રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 10 ડિસેમ્બરે વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા લેવામાં આવશે. જેને લઈને આજે યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકર્તાઓ દ્વારા PPE કીટ પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ હાલની કોરોનાની પરિસ્થિતિમાં પરીક્ષા નહીં યોજવા અને વિદ્યાર્થીઓના આરોગ્યને જોખમમાં નહીં મુકવા માટે કુલપતિને રજૂઆત કરવામા આવી હતી. તેમજ જો યુનિવર્સિટી દ્વારા પરીક્ષા યોજવામાં આવશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને વીમા કવચ આપવાની માગ NSUI દ્વારા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવનારી પરીક્ષાનો NSUI દ્વારા PPE કીટ પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે NSUIના કાર્યકર્તાઓ દ્વારા જણાવાયું કે, જો યુનિવર્સિટી દ્વારા કોરોનાની મહામારીમાં પરીક્ષા યોજવામાં આવશે તો વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાઈ શકે છે. જેને લઈને વિદ્યાર્થીઓને કોરોના થાય નહીં તે માટે PPE કીટ પહેરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ન આવવું પડે જેથી આ પ્રકારના વિરોધનું આયોજન કરવામાં આવ્યું છે.