ગાંધીનગર-

સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવથી માર્ગો અને રોડ રસ્તા તૂટી ગયા છે જેને લઇને આગામી 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં તૂટેલા રોડ રસ્તાનું સમારકામ કરવાનું ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે.ગુજરાતમાં અનરાધાર વરસાદના પગલે રાજ્યના રોડ રસ્તા જેમકે ધોરી માર્ગ ઉપરાંત પંચાયત હતસ્કના માર્ગ તૂટી ગયા છે જેને લઇને રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ સત્વરે શરૂ કરવામાં આવશે અને આગામી 1 થી 10 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે તૂટેલા રોડ-રસ્તાઓ નું રીપેરીંગ ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે તેમ રાજ્યના માર્ગ મકાન મંત્રી પૂર્ણશ મોદી એ જણાવ્યું છે.

આ અંગે સરકારના વિભાગ દ્વારા કરેલી તૈયારીઓ અને દર્શનાર્થીઓ માટે ઉભી કરેલ સુવિધા અંગે વિગતો આપતા પૂર્ણશ મોદીએ જણાવ્યું હતું કે ભાદરવા ની પૂનમ અંતર્ગત અંબાજી આવતા દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય નહીં તે માટે યાત્રાધામ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે આ અંગે તેમણે કહ્યું હતું કે વીજળી પાણી પાર્કિંગ ભોજન વ્યવસ્થા તેમજ આરોગ્ય લક્ષી હેલ્પ સેન્ટર પણ અંબાજી ખાતે શરૂ કરી દેવામાં આવ્યું છે.