ન્યુ દિલ્હી,તા.૨૦
કોરોના વાયરસના કેરની વચ્ચે હવે ચીન સાથે સરહદે તંગદીલી વધી જતાં આ વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા યોજાવવા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ગુજરાતમાંથી દર વર્ષે હજારો લોકો કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા હોય છે. સામાન્ય રીતે જૂનમાં જ શરૂ થઇ જતી કૈલાસ યાત્રામાં ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ જતા હોય છે. હિન્દુ ધર્મમાં ચાર યાત્રાનું ખૂબ જ મહત્વ ગણવામાં આવેલું છે અને જેમાં કૈલાસ માનસરોવરનો પણ સમાવેશ થાય છે. ચીનના તાબા હેઠળના કૈલાસ માનસરોવર યાત્રા સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહથી ઓગસ્ટ સુધી યોજાતી હોય છે. પરંતુ આ વખતે કોરોના સંક્રમણને પગલે હજુ સુધી યાત્રાનો પ્રારંભ થયો થયો નથી. અધૂરામાં પૂરું હવે ચીન સામે સરહદે તણાવ વધી ગયો છે. આ Âસ્થતિમાં આ વખતે કૈલાસ માનસરોવર યોજાય જ નહીં તેની સંભાવના વધી ગઇ છે. અલબત્ત, આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. જાણકારોના મતે કૈલાસ માનસરોવર યાત્રા ઉત્તરાખંડના લિપુલેખ પાસ, સિક્કીમના નાથુલા પાસ એમ બે રૂટ ધરાવે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments