ન્યુ દિલ્હી,તા.૯

કોરોના વાયરસની અસર દુનિયાની અર્થવ્યવસ્થા પર ખૂબ ખરાબ પડવાની છે. વર્લ્ડ બેંકે પોતાના નવા રિપોર્ટ ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટમાં ચિંતા વ્યક્ત કરી છે. બેંકના પ્રેસિડન્ટ ડેવિડ મલપાસ અનુસાર ૧૮૭૦ બાદ આ પહેલો પ્રસંગ હશે, જ્યારે મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી આવશે. નોંધનીય છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ૧૮૭૦ બાદ અત્યાર સુધી ૧૪ વાર મંદી આવી છે. આ મંદી ૧૮૭૬, ૧૮૮૫, ૧૮૯૩, ૧૯૦૮, ૧૯૧૪, ૧૯૧૭-૨૧, ૧૯૩૦-૩૨, ૧૯૩૮, ૧૯૪૫-૪૬, ૧૯૭૫, ૧૯૮૨, ૧૯૯૧, ૨૦૦૯ અને ૨૦૨૦માં આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિ વ્યક્તી આવકમાં ૩.૬ ટકા ઘટાડો થવાની આશંકા છે. તેના કારણે આ વર્ષે કરોડો લોકો ભીષણ ગરીબીમાં ફસાઈ જશે. જે દેશોમાં મહામારીનો સૌથી વધુ પ્રસાર થશે અને ત્યાંની અર્થવ્યવસ્થા વૈશ્વિક વેપાર, પર્યટન, કોમોડિટી નિકાસ અને એક્સટર્નલ વધુ નિર્ભર હેશ, ત્યાં ગરીબી સૌથી વધુ વધશે.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી વધુ મંદી આવશે. અનુમાન છે કે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ૫.૨ ટકાનો ઘટાડો આવી જશે. 

વિશ્વ બેંકે આશંકા વ્યક્ત કરી કે આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થામાં ૩.૨ ટકાનો ઘટાડો આવશે. આ દર ે ૨૦૧૯-૨૦માં ઘટીને ૪.૨ ટકા પર પહોંચી ગયો. કોરોના વાયરસ અને લાકડાઉનની અસલી અસર આ નાણાકીય વર્ષમાં જાવા મળશે.રિપોર્ટ મુજબ આ વર્ષે વિકસિત દેશોની અર્થવ્યવસ્થા ૭ ટકા થઇ જશે અને વિકાસશીલ દેશોની ઇકોનોમીમાં પણ ૨.૫ ટકાનો ઘટાડો આવી શકે છે.