ગાંધીનગર-
રાજ્યમાં વધતા કોરોનાના કેસ વચ્ચે રૂપાણી સરકારે લોકોને રાહત આપી છે. કોરોનાના ટેસ્ટ માટેના ચાર્જમાં રૂપાણી સરકારે એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે 1500 રૂપિયા ચૂકવવા પડશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે જો કોઇ વ્યક્તિ પોતાના ઘરેથી ટેસ્ટ કરાવશે તો તેને બે હજાર રૂપિયા ચૂકવવા પડશે જે અગાઉ ટેસ્ટિગ માટે ત્રણ હજાર રૂપિયા ચૂકવવા પડતા હતા. આજથી આ ચાર્જ લાગુ થઈ ગયો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 35,23,653 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા બુધવારે સાંજે 24 કલાકમાં કોરોનાના કુલ કેસ 1364 નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16294 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 98156 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 98 દર્દી વેન્ટીલેટર પર છે અને 16169 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 117709 પર પહોંચી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments