નવી દિલ્હી-

ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને દેશના સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષમાં ચીનના 20 સૈનિકો ઘવાયા હોવાના સમાચાર મળ્યા છે. આ સંઘર્ષ બંને દેશોના સૈનિકો વચ્ચે ત્રણ દિવસ પહેલાં થયો હતો. 

બંને દેશોના સૈન્યો વચ્ચેની અધિકારી સ્તરની બેઠક ગઈરાત્રે અઢી વાગ્યા સુધી ચાલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારબાદ સત્તાવાર સૂત્રો દ્વારા ત્રણ દિવસ પહેલાં સિક્કિમના નાકુલા ખાતે થયેલી આ ઝડપ બાબતે માહિતી આપવામાં આવી હતી. આ સંઘર્ષમાં ભારત પક્ષે પણ ચાર સૈનિકો ઘવાયા હતા એમ સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, આ કાર્યવાહી બાદ ચીની સૈનિકોએ પીછેહઠ કરી હતી.