ડભોઇ, તા.૭
ડભોઇ વેપારી મહાજન દ્વારા વધી રહેલા કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઈ મંગળવાર થી ૪ વાગે તમામ દુકાનો બંધ થઇ હતી. ડભોઇ પંથક મા દિન પ્રતિદિન કોરોના સંક્રમણ મા કેશો માં વધારો થઈ રહ્યો છે ત્યારે રવિવારે ડભોઇમા હાલ નવ નિર્મિત વેપારી મહાજન મંડળ દ્વારા ડભોઇ ના બજારો ૪ વાગે બંધ થઈ જાય અને સંક્રમણ ઓછું થાય તે માટે ની દુકાનદારો ને સ્વૈચ્છીક દુકાનો ૪ વાગ્યા બાદ બંધ કરવા અપીલ કરાઇ હતી જેને પગલે આજે મંગળવારે ૪ વાગતા જ દુકાનો બંધ થઈ ગઈ હતી. જ્યારે શાકમાર્કેટ મા પણ વધુ ભીડ એકત્ર થતી હોવાને પગલે ૨ વાગે શાકમાર્કેટ પણ બંધ થઈ ગયા હતા.
કોરોના સંક્રમણ ને લઇ ડભોઇ પંથક મા અત્યાર સુધી ૬ જેટલા લોકો મૃત્યુ પામ્યા હોઈ તંત્ર દ્વારા વેપારીઓ ને સંક્રમણ અટકાવા માટે સૂચનો માંગ્યા હતા જેને પગલે ડભોઇ નવીન બનેલ વેપારી મહાજન મંડળ દ્વારા રવિવારે મહત્વનો નિર્ણય લઈ વેપારીઓ ને સવારે ૮ થી ૪ દુકાનો ખોલવા અને ૪ વાગ્યા બાદ દુકાન બંધ કરવા અપીલ કરી હતી. આ સાથે ડભોઇ મોતી બાગ સ્થિત શાકમાર્કેટ માં પણ વધુ થતી ભીડ ને ધ્યાનમાં લઈ બપોરે ૨ વાગે શાકમાર્કેટ પણ બંધ કરવા સૂચનો થયા હતા જે અનુસાર આજે મંગળવાર ના રોજ થી વેપારી મહાજન મંડળ ના સભ્યો દ્વારા દુકાનદારો ને અપીલ કરી ૪ વાગે બજારો રહેલ દુકાનો બંધ કરાવી હતી.
Loading ...