ન્યૂ દિલ્હી

ભારતના પૂર્વ ઓપનર શિવ સુંદરદાસની ભારતીય મહિલા ટીમના બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેને ખાતરી છે કે એનસીએ સાથે કોચિંગ કરતી વખતે મેળવેલા અનુભવથી તેનો ફાયદો થશે. ૨૦૦૦ થી ૨૦૦૨ ની વચ્ચે ભારત માટે ૨૩ ટેસ્ટ રમનારા દાસે કહ્યું હતું કે આ એક સારો અનુભવ છે અને હું તેની રાહ જોઇ રહ્યો છું. તે રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં બેટિંગ કોચ રહી ચૂક્યો છે. તેમનું માનવું છે કે તે અનુભવ તેને બેટ્‌સમેનોની તકનીકી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું હું ચારથી પાંચ વર્ષ સુધી એનસીએનો ભાગ હતો અને થોડા સમય માટે બેટિંગ કોચ રહ્યો છું. રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીનો આભારી છું કે જેમણે મને આ તક આપી."