વડોદરા  

વડોદરા મહાનગર પાલિકાના કમિશ્નર પી.સ્વરૂપ સમક્ષ યુવા જન જાગૃતિ પાર્ટીના સ્થાનિક એકમ દ્વારા પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.જેમાં પાર્ટી દ્વારા પાલિકા કમિશ્નર સમક્ષ ગણેશ વિસર્જનની મંજૂરી આપવા બાબતે રજૂઆત કરાઈ છે.એની સાથોસાથ પાલિકા સમક્ષ કૃત્રિમ તળાવ કે ડ્રમ જેવી વ્યવસ્થા ઉભી કરવાની માગ કરાઈ છે. યુવા જન જાગૃતિ પાર્ટીના યુવા મોરચાના વડોદરા શહેરના પ્રમુખ વિરેન્દ્રસિંહ સોલંકી અને વડોદરા જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પઢીયારની આગેવાનીમાં પાર્ટીના કાર્યકરોએ ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની કચેરીએ જઈને પાલિકા કમિશ્નરને ગણપતિ મહોત્સવમાં વિસર્જનની મંજૂરી આપવાને માટે તેમજ આ વિસર્જનની પ્રક્રિયાને માટે યોગ્ય વ્યવસ્થા પાલિકા દ્વારા ગોઠવવામાં આવે એવી પાત્રમાં માગણી કરી છે.