વડોદરા,

શહેરમાં દર 15 દિવસે કોઇને કોઇ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતુ હોય છે અને હજારો લિટર પાણીનો વ્યય થતો હોય છે હાલમાં 2 દિવલ પહેલા શહેરના સંગમ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતા પાણીનો વ્યય થયો હતો.

આજે ફરી એવી બીજી કોરપોરેશની બેદરકારી સામે આવી છે . પૂર્વ વિસ્તારમાં સયાજી પુરા ટાઉનશીપ પાસે શ્રીજી ગ્રીન શિવ સમીપ ફ્લેટ પાસે આવેલી પાણીની લાઇનમાં ભંગાણ પડતા રોડ પર પાણી ભરાયુ હતુ. આ સપ્તાહમાં શહેરમાં બીજી વાર પાણીની લાઇનમાં ભગાણ પડતા કોરપોરેશની બેદરકારી સામે આવી હતી

ઉલ્લેખનીય છે કે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી મળતુ નથી અથવા તો ખરાબ પાણી મળે છે જેના કારણે શહેરમાં રોગ ચાળો ફેલાવાની શક્યતાો વધે છે