વડતાલ મંદિર દ્વારા નિઃશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટર બની ગયું છે. આજે આ કોવિડ કેર સેન્ટરમાં ૩૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વર્તમાન સમયમાં ઓક્સિજનની કટોકટી છે. ઓક્સિજનના અભાવમાં સારવાર મુશ્કેલ બની છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને વડતાલ મંદિરના સંત શ્રીધર્મપ્રસાદદાસજી એવં ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શિકાગો પરલીન મંદિર તરફથી ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા છે. ત્યારે પ.પૂ.આ. રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.