કુડલોર

તામિલનાડુના કુડલોર જિલ્લામાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં 13મેના રોજ ગુરુવારે સવારે બોઈલર ફાટ્યું હતું. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં. તે જ સમયે આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ કુડલોર જિલ્લા વહીવટી તંત્રની બચાવ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.કુડલોર જિલ્લામાં 13મેના રોજ એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતું. આ વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત થયા હતાં. તે જ સમયે આ ઘટનામાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.