બૈતુલ-
દેશની આઝાદી માટે લડત લડનારા ૧૦૩ વર્ષના સ્વતંત્રસેનાની બિરડીચંદ ગોઠીએ કોરોના વાયરસ સંક્રમણને માત આપી છે. તેઓ મધ્ય પ્રદેશના બૈતુલના રહીશ છે અને આધાર કાર્ડ મુજબ તેમની જન્મતારીખ ૨ નવેમ્બર ૧૯૧૭ છે.
પાંચ એપ્રિલના રોજ બિરડીચંદ ગોઠીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શુક્રવારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ગોઠીએ કહ્યું કે કોરોના વયારસ સંક્રમિત થયા બાદ ડોક્ટરોએ મારી સારવાર કરી. આ સાથે જ ઘરે રહેતા લોકોએ પણ સહયોગ કર્યો હું ખુશ રહ્યો અને સાદું ભોજન કરતો હતો. આથી હું કોરોનાને માત આપી શક્યો. તેમણે કહ્યું કે ઈશ્વરની કૃપાથી હું ઠીક છું. સારવાર દરમિયાન બધાનો સહયોગ મળ્યો. હું માનસિક રીતે ઠીક રહ્યો અને ખુશ રહ્યો. ખાવા પીવાનું સારું રાખ્યું. આથી જલદી સાજાે થઈ ગયો. ગોઠીએ જણાવ્યું કે બાળપણથી મારી દિનચર્યા સારી રહી છે. સવારે જલદી ઉઠવું, સંતુલિત અને સાદો આહાર, નિયમિત વ્યાયામ અને પાઠ કરવા, તથા પ્રસન્નચિતથી પોતાના દરેક કામને કરું છું. પરંતુ વર્તમાનમાં લોકો બદલાતા સમયમાં પોતાને બદલી નાખે છે.
બિરડીચંદે કહ્યું કે 'આજકાલની ખાણી પીણી રહેણી કરણી લોકોને શારીરિક રીતે નબળા બનાવે છે. આથી બધાને સાદું જીવન અને સાદા તથા સંતુલિત આહાર લેવાની જરૂર છે. દિનચર્યા સારી કરીને શારીરિક પરિશ્રમ કરો અને પ્રસન્ન રહો. તેનાથી આપણે કોરોનાને હરાવી શકીએ છીએ.' ગોઠીએ જણાવ્યું કે છિંદવાડાના ડોક્ટર પ્રવીણ નાહરની દેખરેખમાં બૈતુલમાં ઘરમાં જ તેમનો ઈલાજ થયો. ડો.નાહરે જણાવ્યું કે ગોઠી પાંચ એપ્રિલના રોજ સંક્રમિત થયા હતા અને ૨૩ એપ્રિલના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments