આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે અમુક વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. જિલ્લા મેજિસ્ટ્રેટે બોરસદ-આંકલાવના કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોેન જાહેર કર્યાં હતાં. 

બોરસદ તાલુકા અંતર્ગત આવેલાં નાપા વાંટા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ મકાન શહીદ દરગાહ ચોક, નારપુરા રોડ કોર્નરના કુલ-૧૧ મકાનનો વિસ્તાર, વહેરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીની સામેના કુલ-૧ મકાનનો વિસ્તાર, આંકલાવ તાલુકા અંતર્ગત આવતા મુજકુવા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ગીરધરપુરા વિસ્તાર, બિલપાડ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ વચલા ફળીયા, જુના ચોરાની પાછળનો વિસ્તાર, ભેટસી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ભેટાસી (બા) ભાગ, મહાદેવવાળું ફળીયાના વિસ્તારને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.

આ તમામ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે. તેમજ આ વિસ્તારને આવરી લેતાં મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭ કલાકથી સાંજના ૭ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. આ હુકમ તા.૨૮ ઓલ્સ્ટથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેર નામાનો ભંગ કરનાર ઈસમો સામે આઇપીસીની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.