દિલ્હી-

ભારતીય ક્રિકેટર ટીમના ખેલાડી એવા રવિચંદ્રન અશ્વિનના પરિવારના, દસ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. તેની પત્ની પ્રીતિએ, ટ્વિટર દ્વારા આ અંગે માહિતી આપી છે. "અમારા ઘરના છ પુખ્ત વયના લોકો, અને ચાર બાળકો કોરોના સંક્રમિત થયા છે, અને તેમને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે." તેમાંથી એક, હવે ઘરે પણ પરત ફર્યા છે. દરેક જણ રસી લઇ લો. "પોતાને અને તમારા પરિવારને આ રોગથી બચાવા આ સંરક્ષણ અપનાવો ."આમ તેણે લખ્યુ છે.