દિલ્હી-

કોરોના મહામારી દરમિયાન સંક્રમણથી બચવા માટે લોકોએ ઈલેક્ટ્રોનિક પેમેન્ટનો સહારો લીધો હતો. ઈલેક્ટ્રોનિક પેમેન્ટ વધતાંની સાથે જ અમુક બેંકોએ ગ્રાહકો પાસેથી તેનો ચાર્જ વસૂલ કરવાનું શરૂ કરી દીધું હતું. 

વિત્ત મંત્રાલયે બેંકોને કહ્યું છે કે, જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે પેમેન્ટનો ચાર્જ વસૂલવામાં આવ્યો છે તો તેને ગ્રાહકોને પરત કરી દેવો જોઈએ. વિત્ત મંત્રાલયના પ્રમાણે 1 જાન્યુઆરીથી કે તે બાદ ઈલેક્ટ્રોનિક મોડથી જે પણ ટ્રાન્ઝેક્શન કરાયું છે, તેના પર કોઈ ચાર્જ ન લગાવવો જોઈએ. તે માટે વિત્ત મંત્રાલયે આઈટી એક્ટની કલમ 269 એસયુનો આધાર આપ્યો છે. મંત્રાલયે કહ્યું કે, આ ધારા હેઠળ ભવિષ્યમાં ઈલેક્ટ્રોનિક મોડથી કરાતા ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ વસૂલ કરવામાં ન આવે. 

2016માં નોટબંધીથી ભારતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે. તો હાલમાં કોરોના મહામારીના સંકટમાં પણ લોકો નોટોથી દૂર ભાગતાં ડિજિટલ પેમેન્ટનો જ સહારો લઈ રહ્યા છે. પણ જો બેંક ડિજિટલ પેમેન્ટનો ચાર્જ વસૂલ કરશે તો લોકો તેનો ઉપયોગ ઓછી કરી શકે તેવી સંભાવના છે. અને આ જ કારણે વિત્ત મંત્રાલયે બેંકોને ચાર્જ ન લેવા માટે સલાહ આપી છે.