અમદાવાદ-

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં બંધ થયેલ ગિરિમથક સાપુતારા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. એડવેન્ચર એકટીવીટી સહિત નૌકાવિહાર ચાલુ કરવામાં આવતા પ્રવાસીઓમાં ખુશી છવાઈ ગઈ છે. અનલોક 5 વચ્ચે હવે સાપુતારાના ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ સહિત જોવાલાયક સ્થળો કોવિન્ડ-19 ની ગાઈડ લાઈન મુજબ શરૂ કરવામાં આવ્યા છે.  1204 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે અનને સાજા થવાનો દર 84.14 ટકા થયો છે.