અમદાવાદ-
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે. આજે કેન્દ્રીય અમિત શાહ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં કરશે. અમિત શાહે આજે જગન્નાથ મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમના સંસદીય ક્ષેત્રમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. અમિત શાહ અમદાવાદના ગોતાના વંદેમાતરમ ફ્લેટના ધાબા પરથી ઉત્તરાયણ દિવસે પતંગ ચગાવશે. જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકાજાહેર કરી છે જેમાં ઉત્તરાયણમાં માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેને લઈને અમિત શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે.
Loading ...