દિલ્હી,

ગુજરાતના સ્ટર્લિંગ બાયોટેક સાંડેસરા બંધુ કૌભાંડમાં આજે કોંગ્રેસના નેતા અહેમદ પટેલની ત્રીજી વખત પુછપરછ ચાલુ થઈ છે. રૂા.14500 કરોડના આ બેન્ક લોન કૌભાંડમાં  પટેલના કુટુંબને સાંડેસરા બંધુઓ તરફથી નાણા મળ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. અગાઉ પટેલની તા.27 તથા 30 જૂનના કુલ 17 કલાક પુછપરછ થઈ હતી. આજે બપોરે ફરી એક વખત એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારી પટેલના નિવાસે પહોંચ્યા હતા અને તેમની પુછપરછ શરુ થઈ છે.