અમદાવાદ, બ્રિટનથી અમદાવાદ આવેલા પેસેન્જરો પૈકી ૪માં કોરોનાનો નવો સ્ટ્રેન દેખાતા મ્યુનિસિપલ તંત્ર સાબદું બન્યું છે, અને હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા બ્રિટનના પેસેન્જરોની નિયમિત તપાસ કરવામાં કોઈ ઢીલાશ ન દાખવવા માટેની તાકીદ કરવામાં આવી છે.  

છસ્ઝ્રના હેલ્થ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિટનના નવા સ્ટ્રેનથી લોકોમાં ચેપ ફેલાવાનું પ્રમાણ વધી ગયું છે. તાજેતરમાં બ્રિટનથી અમદાવાદ આવેલા ચાર પેસેન્જર્સ શંકાસ્પદ જણાતાં તેમને જીફઁ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના પેસેન્જરોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતા. એસવીપીમાં દાખલ ચાર પેસેન્જર્સમાં કોરોનાનો નવો સ્ટ્રેન છે કે કેમ, તેની તપાસ માટે તમામના સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બાદમાં ચારેય પેસેન્જરોમાં કોરોનાના નવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ હતી, જેથી હેલ્થ વિભાગમાં હડકંપ મચી ગયો હતો, જેથી હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા બ્રિટનના પેસેન્જરોની નિયમિત તપાસ કરતા કર્મચારીઓને કોઈ જ ઢીલાશ નહીં દાખવવા તેમજ કોઈ સંજાેગોમાં પેસેન્જરમાં શંકાસ્પદ લક્ષણ જણાય તો તરત જ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવા તાકીદ કરાઈ હતી. 

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, એક ફ્લાઈટમાં ચાર કોરોનાગ્રસ્ત પેસેન્જર્સ સાથે આવેલા અન્ય પેસેન્જરો પર શંકાના દાયરામાં છે. વધુ ૧૫ પેસેન્જર્સના સેમ્પલ તપાસ માટે પુણે મોકલાયા છે, પરંતુ રિપોર્ટ આવવાના બાકી છે. બીજી તરફ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા હવે ૧૫૦ આસપાસ સ્થિર થઈ છે. તેની સામે ડિસ્ચાર્જની સંખ્યા પણ એટલી જ હોવાથી એક્ટિવ કેસોની સંખ્યામાં વધઘટ થઈ રહી છે. હેલ્થ ખાતાના સુત્રો મુજબ શહેરના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ફરીથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં કેસોમાં વધઘટ થઈ રહી છે.