જોધપુર-

રાજસ્થાનમાં અશોક ગેહેલૌત રાજકીય ખેચતાણનો સામનો કરી રહી છે ત્યારે  હવે જોધપુરમાં 11 પાકિસ્તાની શરણાર્થીઓની લાશ ચર્ચાનું કેન્દ્ર બની છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજેએ પણ આ ઘટના માટે ગેહેલૌત સરકારની ટીકા કરી છે.

વસુંધરા રાજેએ પોતાના ટ્વિટમાં લખ્યું છે, "જોધપુરના દેચુ ગામમાં 11 પાક શરણાર્થીઓનું મોત એ હૃદયરોહક ઘટના છે." આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. આ સરકારના ગાયબ થવાનું પરિણામ છે!