દિલ્હી-

નાઈજીરીયામાં સેનાના ગણવેશમાં આવેલા કેટલાક હુમલાખોરોએ એક સાયન્સ કોલેજને નિશાન બનાવી હતી અને તેમના હુમલામાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. આ હુમલાખોરોએ સો જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બાનમાં પણ લીધા હતા. હુમલાખોરો કોણ હતા એ હજી જાણી નહોતું શકાયું અને આ પોલીસ તથા સેનાના જવાનોને ઘટનાસ્થળે બોલાવીને પહેરો ગોઠવી દેવાયો હતો.

નાઈજીરીયાની પોલીસે કહ્યું હતું કે, જ્યારે કોલેજ પર હુમલો કરાયો ત્યારે ત્યાં એક હજારથી વધારે વિદ્યાર્થીઓ હાજર હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસે જવાનોની ટૂકડી મોકલી ને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બચાવ કામગીરી હાથ ધરીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અને શિક્ષકોને બહાર કાઢી લેવાયા હતા. આ એક ગવર્મેન્ટ કોલેજ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. થોડા દિવસો પહેલા પણ આવો હુમલો કરાયો હતો, જેમાં સેંકડો વિદ્યાર્થીઓને બાનમાં રખાયા હતા.