હૈદરાબાદ,તા.૧૮ 

તેલંગાણાની હાઈકોર્ટ એક પીઆઈએલ પર સુનાવણી કરા પોલીસની ઝાટકણી કાઢી છે. કોર્ટે હૈદરાબાદ પોલીસને સવાલ કર્યો કે રાષ્ટÙીય લોકડાઉન દરમિયાન નિયમોના ઉલ્લંઘન કરવાના સૌથી વધારે કેસ મુÂસ્લમ સમાજના લોકોની વિરુદ્ધ જ કેમ દાખલ કરાયા છે. આનો અર્થ એ છે કે બીજા સમુદાયોના લોકોમાંથી કોઈએ પણ લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું નથી.

ચીફ જÂસ્ટસ રાઘવેન્દ્ર સિંહ ચૌહાણ અને જÂસ્ટસ બી વિજસેન રેડ્ડીની બેંચે જણાવ્યું કે, અમેરિકામાં જુઓ શું થઈ રÌšં છે? એર આફ્રીકન અમેરિકન વ્યÂક્તને પોલીસે મારી નાંખ્યો હવે સમગ્ર દેશમાં આગ લાગી છે. સુનાવણી દરમિયાન બેંચે માન્યું કે લોકડાઉન દરમિયાન લઘુમતિ સમુદાયના લોકો પ્રત્યે પોલીસનું વલણ ક્રૂર હતું.

સમાજીક કાર્યકર્તા શીલા સારા મૈથ્યૂઝે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. તેમણ કોર્ટને એવી કેટલીક ઘટનાઓ અંગે જાણ કરી હતી જેમાં પોલીસે મુÂસ્લમ યુવકોની સાથે ક્રૂરતા કરી હતી. જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી. શીલાના વકીલ દીપક મિશ્રાએ જુનૈદના નામના યુવકનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે જુનૈદને ઢોર માર માર્યો હતો જેને કારણે તેને ૩૫ ટાંકા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, જુનૈદ પ્રવાસી મજૂરોને ભોજન પહોંચાડવાનો કામ કરી રહ્યો હતો. ત્યારે જ પોલીસ કોન્સટેબલે તેને રોક્્યો અને તેના માર માર્યો હતો. પોલીસે દલીલ કરી હતી કે આરોપમાં કોઈપણ પીડિતનું કોઈ નિવેદન સામેલ નથી. જા કે કોર્ટે પોલીસની આ દલીલને વખોડી હતી. તમામ દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે આદેશ આપ્યા છે કે, ૨૦ જૂન સુધી પોલીસ અધિકારી દોષિ કોન્સ્ટેબલ્સની વિરુદ્ધ કાર્યવાહી કરે અને કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરે.