/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગ્રામ યોજનાની કામગીરી અટકાવવા મહિલાઓનો હલ્લાબોલ

રાજપીપળા

કેવડીયા નજીક સરોવર નર્મદા ડેમના નિર્માણ બાદ પણ એ વિસ્તારના ૬ ગામના લોકો યોગ્ય વળતર અને સંપાદિત જમીનના બદલામાં જમીન અને ઘરના બદલામાં ઘરની અવારનવાર માંગણીઓ કરી રહ્યા હતા. રાજ્ય સરકારે એ ૬ ગામના આદિવાસીઓ માટે એક વિશેષ પેકેજની પણ જાહેરાત કરી છે, એ પેકેજ પૈકીની એક આદર્શ ગામની કામગીરીનો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ગોરા ગામ નજીક નર્મદા નિગમ દ્વારા ઓક્ટોબર મહિનામાં આરંભ કરવામાં આવ્યો હતો.

નર્મદા નિગમની આ કામગીરી સામે અમુક લોકોમાં રોષ છે તો અમુક લોકો સંતુષ્ટ છે, સાથે સાથે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ૬ ગામના મોટે ભાગના આદિવાસીઓ ગોરા આદર્શ ગામની યોજના પ્રત્યે નર્મદા નિગમને પોતાનું સમર્થન આપ્યું નથી.

જાે આ યોજના પૂર્ણ થશે તો ૬ ગામના આદિવાસીઓ ગોરા ખાતેના આદર્શ ગામમાં રહેવા જાય છે કે કેમ એ મોટો પ્રશ્ન છે.આદર્શ ગામમા રહેવા જવા મુદ્દે પણ આગામી સમયમા આદિવાસીઓ અને પોલિસ વચ્ચે ઘર્ષણ સર્જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.હાલમાં પણ ગોરા ગામ નજીક ઁસ્ મોદીની યોજના અંતર્ગત આદર્શ ગામનું નિર્માણ થઈ રહ્યું છે જ્યાં મકાનોનું કામકાજ પૂરજાેશમાં ચાલી રહ્યું છે.જેને લઈને ગોરા ગામની મહિલાઓ સહિત અન્ય લોકો આ બાંધકામની કામગીરી અટકાવવા બાંધકામ સ્થળે પહોંચી હલ્લાબોલ કર્યો હતો.ગામની મહિલાઓનું કહેવું છે કે જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી.આ કામ અમે નહીં કરવા દઈએ.ગોરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શાંતિલાલ તડવીએ જણાવેલ હતું કે અમે આ કામગીરી બાબતે વિવિધ જગ્યાએ પત્ર લખ્યા છે.પરંતુ હજુ સુધી અમને તેનો કોઈ જવાબ મળેલ નથી તેથી જ્યાં સુધી નર્મદા નિગમના અધિકારી ઘટનાસ્થળ પર નહીં આવે અને અમારી સાથે આનો ખુલાસો નહીં કરે ત્યાં સુધી અમે આ કામ કરવા નહીં દઈએ.ગોરા ગ્રામજનોના વિરોધને પગલે મામલો ગરમાયો હતો, કેવડિયા પોલિસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને પોલીસે ગ્રામજનોની ફરિયાદ સાંભળી આ બાબતે નર્મદા નિગમના અધિકારીઓ સાથે ચર્ચા કરવા જણાવ્યું હતું.લગભગ ૨ કલાક સુધી ચાલેલા આ વિરોધ બાદ પોલીસ ગ્રામજનોને સમજાવવામાં સફળ રહી હતી અને આદર્શ ગામની કામગીરી ફરીથી ચાલુ થઈ હતી.

આદર્શ ગામ ગોરામાં કેવી સુવિધાઓ હશે? 

ગોરા પાર્કિંગની બાજુમાં બની રહેલું આ આદર્શ ગામ કુલ ૨૧.૨૯ હેકટર જમીનમાં બનશે.જેમાં કુલ ૪૨૯ મકાનો હશે એક મકાન ૧૩૪૫.૫ ચો ફૂટનું હશે.આદર્શ ગામમા બાળકોને ભણવા માટે પ્રાથમિક શાળા, આંગણવાડી, દવાખાનું, સાર્વજનિક ભવન, હવાડો, બાગ, બાળકોને રમવાની જગ્યા, ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, કોન્ક્રીટના રોડ, ભુગર્ભ ગટર યોજના, શેરીની બત્તી સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution