વડોદરા, તા.૭ 

અયોધ્યા મુકામે ભગવાન રામમંદિર બંધાય જે સમગ્ર દેશનું પ૦૦ વર્ષ જૂનું સ્વપ્ન સાકાર થતું હોઈ તા.પના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આજ દિવસે ઘડિયાળી પોળ, પટોવીયા પોળમાં સંકટ મોચન હનુમાન મંદિરના પ્રાંગણમાં ભગવાન રામનું પૂજન, પવનપુત્ર હનુમાનજીનું પૂજન તેમજ ૧૫૦ દીવાની આરતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના દીર્ઘાયુ માટે રામધૂન કરવામાં આવી હતી.