ગાંધીનગર-

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ ૧૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક ૧૧,૭૯૯ ઉપર પહોંચ્યો છે અને આજે વધુ ૨ દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક ૧૯૬ થયો છે. આમ વડોદરામાં કોરોના કેસની સામે મૃત્યુ દર માત્ર ૧.૬૬ ટકા છે. વડોદરામાં આજે વધુ ૬૦ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૯૯૪૨ લોકો કોરોનાને માત આપી ચૂક્્યા છે. વડોદરામાં હાલ ૧૬૬૧ એક્ટિવ કેસ પૈકી ૧૮૨ દર્દી ઓક્સિજન ઉપર અને ૭૧ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૧૪૦૮ દર્દીની હાલત સ્થિર છે.

અટલાદરા, અકોટા, હરણી, તરસાલી, સમા, નાગરવાડા, આજવા રોડ, માણેજા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, સુભાનપુરા, માંજલપુર, છાણી, કિશનવાડી, બપોદ, શિયાબાગ, ફૈંઁ રોડ, નવાયાર્ડ, પાણીગેટ, ગોત્રી, મકરપુરા, ગોરવા, વડસર, સુદામાપુરી, કિશનવાડી

ગ્રામ્યઃ ડેસર, કરખડી, ડભોઇ, પાદરા, કરજણ, વલણ, સેવાસી, બિલ, કેલનપુર ,શિનોર, સાવલી, પોર, ભાયલી. વડોદરામાં બેંક ઓફ બરોડાની કારેલીબાગ બ્રાંચમાં ૭ જેટલા કર્મચારી કોરોના સંક્રમિત થતાં બે દિવસ બેંક બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. જેને પગલે આજે સવારે બેંકના કામ માટે ગયેલા ગ્રાહકોને ધક્કો ખાવો પડ્યો હતો.