ધનસુરા,તા.૩૦   

ધનસુરા રામજી મંદિર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા રામ મંદિર માટે માટી અને જલ ભેગું કરવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે નિર્માણ માટે પવિત્ર તીર્થના જળ અને માટી એકત્ર કરવામાં આવી રહ્યા છે.વિવિધ હિંદુ સંગઠનો ધ્વારા ધનસુરા રામજી મંદિર ખાતેથી જળ અને માટી એકત્ર કરવામાં આવી હતી. અયોધ્યા ખાતે મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી.અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી પવિત્ર સ્થાનોની માટી અને જળ એકત્ર કરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના શામળાજી સહિત વિવિધ સુપ્રસિદ્ધ મંદિરોમાંથી હિદું સંગઠનો ધ્વારા માટી અને જળ એકત્ર કરવામાં આવી રહી છે.ધનસુરા રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પૂરણશરણદાસજી મહારાજ અને રામશરણદાસજી મહારાજઅને વિવિધ હિંદુઓ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.