અમદાવાદ-

સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે.વી. મોદીના રાજીનામાના 24 કલાક પછી બી.જે. મેડિકલના ડીન ડૉ. પ્રણય શાહ, મેડિસિન યુનિટના હેડ ડૉ. બિપીન અમીન અને એનેસ્થેસિયા હેડ ડૉ. શૈલેષ શાહે રાજીનામું આપ્યું છે. જેથી સિવિલ હૉસ્પિટલના તંત્રમાં હડકંપ મચી ગયો છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે. વી. મોદીએ આપેલા રાજીનામાથી તબીબો નારાજ થયા હતા, અને જે. વી. મોદીનું રાજીનામુ સ્વીકારી લેવાયું છે, જે પછી સીનીયર તબિબોના રાજીનામાં પડ્તા સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. કોરોનાકાળમાં સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેટે ખૂબ જ સુંદર કામગીરી નીભાવી હતી અને તેમની સાથે ડૉકટરોની ટીમે પણ ખભે ખભો મિલાવીને દર્દીઓની સેવા કરી હતી. ઉત્તમ કામગીરી કરનાર જે.વી. મોદી સિવિલ હૉસ્પિટલની આંતરિક રાજનીતિનો ભોગ બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.