સુરત,તા.૧૦ 

કોરોના વાયરસનાનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જીવલેણ વાયરસનાં કાળ વચ્ચે આજથી સુરતનું હીરા બજાર ફરી ધમધ્યુ છે. બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. છેલ્લા આઠ-દસ દિવસથી સુરતમાં દરરોજ અમદાવાદથી વધુ કેસો તો નોંધાઈ જ રહ્યા છે પરંતુ ગુરૂવારે મોતનો આંકડો પણ વધી ગયો હતો. સુરતમાં કોરોનાના હાહાકાર વચ્ચે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કોરોના કહેર વચ્ચે આજથી હીરાબજાર ફરી ધમધમતું છે.

 કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આજથી હીરા બજાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાઈડલાઈન્સ પ્રમાણે જાે કોઈ યૂનિટ કે એકમમાં ૧૦થી વધુ કેસ આવે તો હીરા બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હીરા બજાર બપોરે ૨થી સાંજના ૬ વાગ્યા સુધી ખુલશે. બીજી બાજુ તંત્રએ હિરા બજારનો સમય વધારવાની માગ ફગાવી દીધી છે.

 સુરતના હીરા ઉધોગકારોએ પોતાના એકમો અને યૂનિટો સવારે ૯થી સાંજના ૬ વાગ્યા સુધી ચાલું રહે તેવી માંગ કરી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતમાં આજથી હીરા ઉદ્યોગ ફરી ધમધમતું થયું છે. હાલ બજારોમાં હીરા બજારમાં ટ્રેડિંગ પણ શરૂ થઈ ગયું છે. કોરોના મહામારીના જાેખમ વચ્ચે સરકારે હીરા ઉધોગને પરમિશન તો આપી છે, પરંતુ સરકાર દ્વારા જાહેર થયેલી ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે કોઈ એકમ કે યૂનિટમાં ૧૦થી વધુ કેસ આવશે તો તે હીરા બજાર બંધ કરવામાં આવશે. તંત્રએ કડક આદેશ આપતા હીરા બજારનો સમય બપોરે ૨થી સાંજે ૬ સુધીનો જ રહેશે. ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવાનું રહેશે.