અમદાવાદ-

શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં આજે વહેલી સવારે આપઘાતની એક કરૂણ ઘટના બની હતી, જેમાં વૃદ્ધે પહેલાં પોતાને આગ ચાંપી હતી અને પછી પાંચમા માળેથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો.

અરેરાટીભર્યા આ બનાવની ટૂંકી વિગત એવી છે કે, ઘાટલોડિયા વિસ્તારના સમર્પણ ટાવરમાં પાંચમા માળે રહેતા જયપ્રકાશ નામના શખ્સ નિવૃત્ત જીવન ગાળતા હતા.  તેમને બે પુત્રી અને પત્નીનો પરીવાર હતો જે બંને પુત્રીઓના લગ્ન થઈ ગયા છે. આ શખ્સે આજે વહેલી સવારે લોકો ભર ઉંઘમાં હતા એવે સમયે અગમ્ય કારણોસર પોતાને પહેલા આગ ચાંપી હતી અને ત્યારબાદ પાંચમા માળેથી ઝંપલાવ્યું હતું. આપઘાતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ હતી અને તેનાથી સમગ્ર સોસાયટીમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘાટલોડિયા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.