આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં જિલેટીન સળિયાથી ભરેલા વાહનના વિસ્ફોટના કારણે મોટો અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં નવ લોકોની મોત નીપજી છે. આ અકસ્માત જિલ્લાના કલાસાપડુ મંડળના મમિલાપલ્લીની હદમાં બન્યો હતો.વાહન જિલેટીનના સળિયા લઇ જઇ રહ્યા હતા, તે દરમિયાન તેમાં વિસ્ફોટ થયો છે. જેમાં 10 લોકોના મોત નીપજ્યાં હતાં અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળ એકદમ ભયાનક હતું. મૃતકોના શરીરના ભાગો ચારે બાજુ પથરાયેલા હતા.