અંક્લેશ્વર 

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ ને અડીને આવેલ નવજીવન હોટલ પાછળ ની રંગોલી પાર્ક માં આવેલ પ્લાસ્ટિક સ્ક્રેપ ના બે શેડમાં આગની ઘટના થી દોડધામ મચી ગઈ હતી.જોકે સદ્દનસીબે કોઈ જાનહાની પહોંચી નહોતી.

અંકલેશ્વર માં સ્ક્રેપ માર્કેટ માં ભંગારીયા ઓ ને ત્યાં આગ લાગવા નો સિલસિલો યથાવત રહ્યો હતો, આજરોજ નેશનલ હાઇવે ને અડીને આવેલ નવજીવન હોટલ ના ભાગમાં આવેલ રંગોલી પાર્ક માં એક પ્લાસ્ટિક ના ભંગારીયા ને ત્યાં આગની ઘટના બની હતી , આ ગોડાઉન માં મોટી માત્ર માં પ્લાસ્ટિક બેગો , પ્લાસ્ટિક ડ્રમો સહિત નો જથ્થો હોવાથી આગે જોતજોતા માં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ, અને આગ વધુ બે કાબુ બનતા બાજુ માં જ આવેલ વધુ એક પ્લાસ્ટિક ના ભંગારીયા નો શેડ પણ આગ ની ઝપેટ માં આવી ગયો હતો.

આગની ઘટના અંગે પાનોલી તેમજ અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા , અને પાંચ જેટલા ફાયર ટેન્ડરો ની મદદ થી આગ પર પાણી નો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.