ગાંધીનગર-
રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવે છે. દર વર્ષે જુદા-જુદા વિભાગ પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્ય સરકારે ઝોન પ્રમાણે કુલ 44 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી છે. આ બધા શિક્ષકોને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તો આ વર્ષે આ એવોર્ડ મેળવનારા શિક્ષકોની યાદી રાજ્ય સરકારે જાહેર કરી દીધી છે. વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ શિક્ષક-2020 માટે 44 શિક્ષકોને આ એવોર્ડ મળશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુબબ પ્રાથમિક વિભાગમાંથી 17 શિક્ષકોની એવોર્ડ માટે પસંદગી થઈ છે. તો માધ્યમિક વિભાગમાંથી 7 શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી 3 શિક્ષકો, માધ્યમિક/ઉચ્ચચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાં સાત શિક્ષકોનો સમાવેશ થાય છે. આ સિવાય નિરીક્ષક તથા એચ,ટાટ, સીઆરસી, બીઆરસી, મદદનીશ શિક્ષક નિરીક્ષક કેટેગરીમાંથી 4 શિક્ષકો અને ખાસ શિક્ષક કેટેગરીમાં 2 શિક્ષકોની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments