રાનકુવા

બીલીમોરા પારસી અંજુમન ટ્રસ્ટ ફંડ્‌સની આગામી ટર્મ માટે મરઝબાન બારીઆ તથા હોમયાર મેઘોરાની સર્વાનુમતે ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સભાની શરૂઆત પહેલાં ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વર્ગસ્થ જાલભાઈ વાસનિયા અને પારસી સમાજના હાલમાં જ મૃત્યુ પામેલા ગૃહસ્થો અને બાંનુઓ ને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 મરઝબાન બારીઆની ટ્રસ્ટી તરીકેની મુદત પૂર્ણ થતાં તથા અન્ય બીજા એક ટ્રસ્ટી મળીને બેની નિમણૂક કરવાની હોવાથી રૂસ્તમબાગ ખાતે પારસી સમાજના લોકો એકત્રિત થયા હતા. જેમાં આગામી ૭ વર્ષની મુદત માટે ટ્રસ્ટી તરીકે મરઝબાન નાદરસા બારીઆ તથા હોમયાર નરીમાન મેઘોરાની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે મરઝબાન બારીઆ છેલ્લા ૨૮ વર્ષ અને ૪ ટર્મથી ટ્રસ્ટી તરીકેનો હોદ્દો ભોગવતા આવ્યા છે. આ તેમની ૫ મી ટર્મ છે. ટ્રસ્ટના ઇતિહાસમાં કોઈપણ દિવસ ઇલેક્શન થયું નથી. બધા સાથે ભેગા મળીને સર્વાનુમતે સમાજનું કામ કરતા આવ્યા છે. તેવી જ રીતે આ વખતે પણ બંને ટ્રસ્ટીઓની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી હતી. સભાનું સમગ્ર સંચાલન મેનેજિંગ ટ્રસ્ટી ધનજીશા અવારી એ કર્યું હતું.