ગોધરા,તા.૮

દેશના રાજ્યોમાંથી આવેલા ૧૮૮ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય એકતા શિબીર દરમિયાન અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. સાત દિવસ સુધી ચાલનારા આ આદિવાસી અસ્મિતા પર્વ કાર્યક્રમમાં ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ અને તેલંગાણા રાજ્યોના વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો. ત્યારે એકતા શિબીર અંતર્ગત અલગ અલગ રાજ્યોમાંથી આવેલા વિદ્યાથીઓને માનગઢ ધામની મુલાકાત કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય એકતા શિબિર એટલે કે એનઆઇસી જેનું આયોજન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એન એસ એસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સહિત કુલ નવ રાજ્યોના ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ તાજેતરમાં માનગઢ ધામની મુલાકાત લઈ માનગઢનો ઇતિહાસ જાણ્યો હતો. છત્તીસગઢ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કેરાલા, મધ્યપ્રદેશ,ઓરિસ્સા, રાજસ્થાન સહિતના વિદ્યાર્થીઓએ ગુરુ ગોવિંદનો ઇતિહાસ જાણી જલિયાવાલા બાગથી પણ જધન્ય અપરાધ અંગ્રેજાેએ માનગઢ ધામ ખાતે કર્યો હતો. ત્યારે દેશને આઝાદી આપવામાં ગુરુ ગોવિંદની ભૂમિકા જાણી સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા. સમગ્ર પ્રવાસનું આયોજન એનએસએસના યુનિવર્સિટીના કોર્ડીનેટર ડો.મયંક શાહની આગેવાનીમાં એનએસએસ ટીમ દ્વારા સંપન્ન થયું હતું.