ગાંધીનગર-
રાજ્યમાં ગયા વર્ષના એપ્રિલ મહિનાથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2020-21ની શરૂઆત થતા રાજ્યમાં શાળાની ફી ઘટાડવાની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી હતી. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર પર શાળાની ફી ઘટાડવા બાબતની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે રાજ્યની ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી. જે આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે, જ્યારે હજૂ ફી ઘટાડવી કે નહીં તે બાબતે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં નિર્ણય કરશે. ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે શૈક્ષણિક વર્ષમાં 25 ટકા ફી ઘટાડવાની જાહેરાત કરીને અમલવારી પણ કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે 7 જૂનથી રાજ્યની શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગયા વર્ષનો નિયમ જ આ વર્ષે પણ રાજ્યની ખાનગી શાળાઓમાં લાગુ કરવામાં આવશે. તેમ એક નિવેદનમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું, ત્યારે વાલી મંડળમાં પણ હવે રોષની લાગણી વ્યક્ત થઈ છે. શૈક્ષણિક વર્ષ 2020-21ની શરૂઆત થતા રાજ્યમાં શાળાની ફી ઘટાડવાની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી હતી. ત્યારે ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી. આ ફીમાં હજૂ ઘટાડો કરવો કે નહીં તે બાબતે સરકાર આવનારા દિવસોમાં નિર્ણય કરશે.
Loading ...