સુરત-

બારડોલીના સાંસદ પ્રભુ વસાવા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગેની જાણકારી તેઓએ ખુદ ટ્વિટ કરીને આપી હતી. પ્રભુ વસાવાએ ટ્વીટ કરી કે, "અસ્વસ્થતા તથા કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાતા મે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી વિનંતી છે કે, જેઓ મારા સંપર્કમાં આવ્યા હોય તે પોતાને ક્વોરન્ટાઈન તથા આઈસોલેશન કરી તપાસ અવશ્ય કરાવો."

ઉલ્લેખનીય છે કે સાંસદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના એક એવસ પહેલા જ સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે માંડવી રિવર ફ્રન્ટ પાસે 20 મીટર ઊંચાઈ ધરાવતા તિરંગાનું લોકાર્પણ કર્યું હતું. તેમાં નગરપાલિકાના પ્રમુખ ડો. આશિષ ઉપાધ્યાય, માંડવી નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી, ચૂંટાયેલા નગર સેવકો સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા આ સિવાય તેઓ પેટાચૂંટણી દરમિયાન ડાંગ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ ઘણાં સક્રિયતા રહ્યા હતા.