ગાંધીનગર-
ગાંધીનગર સિવિલમાં અક્ષય પાત્ર દ્વારા ભોજન પીરસવામાં આવે છે. ત્યારે આ ભોજનમાં ગરોળી મળતા લોકોમાં ફફડાટ પેઠો હતો અને ભોજન લીધેલા દર્દીઓને 36 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો છે કે, હજુ સુધી ફૂડ પોઈઝનિંગ કે અન્ય પ્રકારની અસર થઈ નથી. સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ નિયતી લાખાણી એ કહ્યું કે, બુધવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જ્યારે દર્દીને હોસ્પિટલમાં આપવામાં આવતું ભોજન સવારે આપ્યું તેમાંથી એક બફાયેલી ગયેલી ગરોળી મળી હતી. જેમાં સૌથી પહેલા દર્દીને જમવાનું વેચી રહ્યા હતા તે બંધ કર્યું. જોકે, આ ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે. ફરજ પર હાજર રહેલા સ્ટાફને સજા કરવામાં આવી છે. છેલ્લા 48 કલાકમાં કોઈ તકલીફ દર્દીને થઈ નથી. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે વધુમાં કહ્યું કે, અક્ષય પાત્ર દ્વારા ભોજન આવે છે. જેમાં અક્ષય પાત્રનું ધ્યાન દોર્યું છે પરતું અક્ષય પાત્ર સ્કૂલમાં ભોજન આપે છે. જ્યારે હોસ્પિટલમાં અક્ષય પાત્ર હેઠળના જ ટચ ફૂડ ફાઉન્ડેશનના માધ્યમથી ફૂડ આવે છે. જેથી હવે દર્દીઓ માટે બહારથી આવતા ભોજની તપાસ કરવા માટે જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સુપ્રિટેન્ડન્ટ ઓફિસથી એક અધિકારી અને નર્સિંગ વિભાગના જવાબ અધિકારીઓ હાજર રહેશે અને ભોજનની ચકાસણી કરશે. બે માસ પહેલા વોર્ડમાં લઈ જવાતા ફૂડ કન્ટેનર નવા લવાયા છે. આપણે ખોરાક ખુલ્લામાં લઇ જતા નથી પરંતુ આ ઘટનાથી દુઃખી છીએ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments