ભાવનગર-
દેશમાં કથળતી જતી કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ અને મહિલા અત્યાચારની દરરોજ બનતી ઘટનાઓને પગલે ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતે કેન્દ્ર સરકારના પૂતળાનું દહન કરી યુપીમાં બનેલી જઘન્ય અપરાધ સંદર્ભે યોગી આદીત્યનાથ સરકારના તત્કાળ રાજીનામાની માગ કરી છે. તેમજ જિલ્લા કોંગ્રેસના સભ્યો-હોદ્દેદારોએ વરતેજ મુખ્ય માર્ગ પર રોડ ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ ઘટનાની જાણ વરતેજ પોલીસને થતાં પીઆઇ, પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.
Loading ...